મસીહનું કાયમ માટે એક જ વાર બલિદાન
1 નિયમશાસ્ત્ર તો આવનાર સારી બાબતોનો ફક્ત પડછાયો છે, વાસ્તવિકતાનો નહિ, માટે વષોઁવષઁ થતા એક જ બલિદાનોથી, આરાધના માટે ત્યાં આવનારા લોકોને તે સંપૂણઁ કરવાને કદી સમથઁ ન હતું. 2 જો, એમ હોત, તો તેઓનું અપઁણ કરવાનું શું બંધ ન થયું હોત? કેમકે આરાધના કરનારાઓ એક જ વાર શુધ્ધ થયા હોત, અને પાપને કારણે તેમને દોષ ન લાગત. 3 પરંતુ એ બલિદાનો દર વરસે પાપોની યાદ તાજી કરાવે છે. 4 કારણ કે બળદો અને બકરાનું લોહી પાપ દૂર કરવાને સમર્થ નથી.