17 વિશ્વાસથી જયારે ઈશ્વરે અબ્રાહમની કસોટી કરી, ત્યારે તેણે ઇસહાકનું બલિદાન આપ્યું. જેણે વચનો સ્વીકાયાઁ હતા, તેણે પોતાના એકનાએક દીકરાનું બલિદાન આપ્યું 18 તેથી ઈશ્વરે તેને કહ્યું હતું કે, "ઇસહાકથી તારા વંશજો ગણાશે" 19 અબ્રાહમ માનતો હતો કે ઈશ્વર મૃત્યુ પામેલાંઓને પણ સજીવન કરી શકે છે, અને તેથી એક રીતે કહીએ તો તેણે ઇસહાકને મૃત્યુમાંથી પાછો મેળવ્યો.