7 શિક્ષણની ખાતર તમારે સહન કરવું પડે છે; જેમ પુત્રની સાથે તેમ તે તમારી સાથે વતેઁ છે; કેમકે એવો કયો પુત્ર છે કે જેને બાપ શિક્ષા નથી કરતો? 8 જો તમે શિક્ષા ના ભાગીદાર થયા, એવી શિક્ષા અમને ન થાય, તો તમે દાસી પુત્રો છો, ને ખરા દીકરા કે દીકરીઓ નથી. 9 વળી, આપણા શરીરોના પિતા આપણને શિક્ષા કરે છે અને આપણે તેમનું માન જાળવીએ છીએ, તો આપણા આત્માઓના પિતાને એથી વિશેષ માન આપીને તેને આધીન ન રહીએ અને જીવીએ? 10 કેમકે તેઓએ તો થોડા સમય સુધી પોતાને જેમ યોગ્ય લાગ્યું તેમ આપણને કેળવવા માટે શિક્ષા કરી, પરંતુ ઈશ્વરની શિક્ષા હંમેશા હિતકારક હોય છે. જેથી આપણે તેમની પવિત્રતાના ભાગીદાર બનીએ.
Publicidade