અંધ બાર્તિમાયને દ્રષ્ટિદાન
46 પછી તેઓ યરીખો આવ્યા. ત્યાંથી ઈસુ, તેમના શિષ્યો, મોટું ટોળાની સાથે શહેરની બહાર જતા હતા, ત્યારે રસ્તાની બાજુએ તિમાયનો દીકરો બાર્તિમાય નામે અંધ ભિખારી બેઠો હતો. 47 જયારે તેણે સાંભળ્યું કે તે નાઝરેથના ઈસુ છે, ત્યારે તે બૂમ પાડવા લાગ્યો, "ઓ ઈસુ! દાવિદના દીકરા મારા પર દયા કરો!"
48 કેટલાક લોકોએ તેને ધમકાવ્યો ને કહ્યું કે, છાનો રહે, પરંતુ તે વધારે જોરથી બૂમ પાડવાં લાગ્યો, "ઓ દાવિદના દીકરા મારા પર દયા કરો!"
49 ઈસુએ ઊભા રહીને કહ્યું, "એને બોલાવો!"
લોકોએ તે અંધજનને બોલાવ્યો, "ખુશ થા, ચાલ! તે તને બોલાવે છે." 50 તેણે પોતાનું ઝભ્ભો બાજુમાં ફેંકી દઈ તે કૂદીને પોતાના પગ પર ઊભો થયો અને ઈસુની પાસે આવ્યો.
51 ઈસુએ તેને કહ્યું, "તારી શી ઈચ્છા છે? તારે માટે હું શું કરું?"
તેણે કહ્યું, "રાબ્બી, હું જોવા માંગુ છું!"
52 ઈસુએ કહ્યું, "જા, તારા વિશ્વાસે તને સાજો કર્યો છે." તરત જ તે માણસ જોવા લાગ્યો અને માર્ગમાં ઈસુની પાછળ ગયો.