3 કેટલાંક માણસો તેમની પાસે એક લકવાગ્રસ્ત થયેલા માણસને લાવ્યા, જેને ચાર માણસો ઉંચકીને લઈ ગયા હતાં. 4 ટોળાને કારણે તેઓ ઈસુ પાસે પહોંચી શક્યા નહિ, તેથી તેઓએ ઈસુની ઊપર નું છાપરું ઉકેલીને તે માણસને પથારી સાથે તેમની આગળ ઉતાર્યો. 5 તેઓનો દ્રઢ વિશ્વાસ જોઈને ઈસુએ લકવાગ્રસ્ત માણસને કહ્યું, "દીકરા, તારાં પાપ માફ કરવામાં આવ્યા છે."
6 ત્યાં બેઠેલાં કેટલાક નિયમશાસ્ત્રના પંડિતોએ પોતાના મનમાં વિચાયુઁ, 7 "આ માણસ આવી રીતે કેમ બોલે છે? આ તો ઈશ્વર નિંદા છે! એક, એટલે ઈશ્વર, એકલા ઈશ્વર સિવાય બીજો કોણ પાપ માફ કરી શકે?"
8 ઈસુએ તેઓના મનના વિચારો પોતાના આત્મામાં જાણી લઈને તરત તેમને કહ્યું, "એવા વિચારો મનમાં શા માટે કરો છો? 9 સહેલું શું છે? એટલે લકવાગ્રસ્તને એમ કહેવું કે તારાં પાપ તને માફ થયાં છે અથવા એમ કહેવું કે ‘ઊઠ! તારી પથારી ઊંચકીને ચાલ?’ 10 પરંતુ એ તમે જાણો કે માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે." 11 "તેથી તેમણે તે માણસને કહ્યું, હું તને કહું છું, ઉઠ, તારી પથારી ઊંચકીને ઘરે જા." 12 તે ઊભો થયો અને બધાનાં દેખતાં પથારી ઊંચકીને બહાર ચાલ્યો ગયો, લોકો સ્તબ્ધ થઈ ગયા, ઈશ્વરની સ્તુતિ કરતાં તેઓ કહેવા લાગ્યા કે, "આવું અમે કદી જોયું નથી."