22 યરુશાલેમથી આવેલા કેટલાક નિયમશાસ્ત્રના પંડિતોએ કહ્યું, સાચી વાત એ છે કે તેનામાં ભૂતોનો સરદાર બાલઝબૂલ છે, ભૂતોના સરદારની મદદથી તે અશુધ્ધ આત્માઓને કાઢે છે.
23 ઈસુએ તેઓને બોલાવ્યાં અને દ્રષ્ટાંતો દ્રારા સમજાવતા કહ્યું, "શેતાન શેતાનને કેવી રીતે કાઢી શકે? 24 કોઈ રાજ્યમાં ભાગલાં પડે, તો તે જાતેજ નાશ પામે છે. 25 જે ઘરમાં માંહોમાંહે ફાટફૂટ થાય તો તે ટકી શકે નહિ. 26 અને જો શેતાન પોતાની વિરુદ્ધ ફૂટ પાડે તો તે કેવી રીતે ટકી શકે! તેનો અંત જ આવ્યો જાણવો. 27 બળવાન માણસને બાંધ્યા વગર કોઈ તેના ઘરમાં પ્રવેશી ન શકે. બળવાન માણસને એ બાંધ્યા પછી તે તેનું ઘર લુંટી શકે છે. 28 હું તમને ખચીત કહું છું કે: માણસનું કોઈ પણ પાપ અને નિંદા માફ કરી શકાશે; 29 પરંતુ, પવિત્ર આત્મા વિરુધ્ધ કરેલું નિંદાનું પાપ કદી માફ કરવામાં આવશે નહિ, સાર્વકાલિક દોષ રહે એવું તે પાપ છે."
30 ઈસુએ આ વાતો કહી કારણ કે તેઓ કહેતાં હતા કે તેમને અશુધ્ધ આત્મા વળગેલો છે.