યાઈરસની પુત્રી અને રકતસ્ત્રાવવાળી સ્ત્રી
21 ઈસુ હોડીમાં બેસીને સરોવરને સામે કિનારે પહોંચ્યા, જયારે એ તે સરોવર પાસે હતાં ત્યારે મોટો સમુદાય તેમની આસપાસ એકઠો થઈ ગયો. 22 એટલામાં યહુદી સભાસ્થાનનો આગેવાન, યાઈરસ દોડતો આવ્યો, અને ઈસુની આગળ નમી પડયો. 23 વ્યાકુળ હદયે તેણે આજીજી કરી, "મારી નાની દીકરી મરવાની અણી પર છે; મહેરબાની કરી આપ આવો અને તેના પર હાથ મૂકો કે તે સાજી થઈને જીવતી થાય." 24 ઈસુ તેની સાથે ગયા અને.
મોટું ટોળું તેમની પાછળ જઈને તેમના પર પડાપડી કરી. 25 ટોળામાં એક સ્ત્રી તે બાર વર્ષથી રકતસ્ત્રાવથી પીડાતી હતી. 26 ઘણાં ડોકટરોની સારવારમાં તેણે પોતાનું સવઁ ખરચી નાંખ્યાં છતાં, સારું થવાને બદલે તેની સ્થિતિ વધારે બગડી ગઈ હતી. 27 ઈસુ વિશે સાંભળીને ટોળામાં થઈને તે તેમની પાછળ આવી અને તેમના ઝભ્ભાને સ્પર્શ કયોઁ. 28 કેમકે તેણે વિચાયુઁ હતું કે: "જો હું માત્ર તેમના વસ્ત્રને જ સ્પર્શ કરું તો, પણ સાજી થઈશ." 29 તરત જ તેનો રકતસ્ત્રાવ બંધ થયો અને તેને શરીરમાં ખાતરી થઈ કે તે સાજી થઈ છે.
30 તરત જ ઈસુને ખબર પડી કે તેમના માંથી પરાક્રમ નીકળ્યું છે, તેમણે ટોળાં તરફ ફરીને પૂછયું. "મારા વસ્ત્રને કોણે સ્પર્શ કર્યો?"
31 શિષ્યોએ કહ્યું, "આટલા બધા લોકો તમારાં પર પડાપડી કરે છે," છતાં તમે પૂછો છો કે, "કોણે મને સ્પર્શ કયોઁ?"
32 એ કોણ કયુઁ તે જોવા, ઈસુએ ચારે તરફ નજર ફેરવી. 33 તે સ્ત્રી પોતાને જે થયું હતું તે જાણીને ભયથી ધ્રૂજીને આવીને તેની આગળ પડીને તેણે તેમને બધું સાચેસાચું કહી દીધું. 34 તેમણે તેને કહ્યું, "દીકરી, તારા વિશ્વાસથી તું સાજી થઈ છે, શાંતિએ જા ને રોગથી મુક્ત થા."
35 હજી ઈસુ તે સ્ત્રી સાથે વાત કરતા હતા, તે જ વખતે સભાસ્થાનના આગેવાન યાઈરસના ઘરેથી માણસો આવ્યા, "તેઓએ ખબર આપી કે દીકરી મૃત્યુ પામી છે, હવે ઈસુને તસ્દી આપવાની જરૂર નથી."
36 પરંતુ તેઓની વાત પ્રત્યે ધ્યાન આપ્યા સિવાય ઈસુએ કહ્યું, "તું ગભરાઈશ નહિ, માત્ર વિશ્વાસ રાખ."
37 પછી ઈસુએ ટોળાને ત્યાં અટકાવીને પિતર, યાકોબ અને યોહાન કે જે યાકૂબનો ભાઈ સિવાય બીજા કોઈને પોતાની સાથે આવવાં દીધા નહિ. 38 જયારે તેઓએ સભાસ્થાનનાં આગેવાનના ઘરમાં આવ્યા, ત્યારે ઈસુએ આવીને જોયું તો શોરબકોર મચી ગયો હતો. વિલાપ અને રડારોળ થઈ રહ્યાં હતાં. 39 ઈસુએ ઘરમાં જઈને લોકોને કહ્યું, "આટલો બધો શોરબકોર અને વિલાપ શા માટે! છોકરી મરી નથી ગઈ પણ ઊંઘે છે!" 40 તેઓએ તેમને હસી કાઢયાં.
ઈસુએ બધાને બહાર કાઢયા, તેઓના ગયા પછી છોકરીનાં માતાપિતાને અને ત્રણ શિષ્યોને લઈને, જે ઓરડીમાં તે હતી ત્યાં તે ગયા. 41 તેમણે તેનો હાથ પકડીને કહ્યું, "તાલીથાકૂમ!" જેનો અર્થ થાય છે, ("છોકરી, હું તને કહું છું, ઊઠ!"). 42 તરત તે ઊભી થઈ અને ચાલવા લાગી. તેઓ જોઈને આશ્ચર્યમાં ડૂબી ગયાં (તે છોકરી બાર વરસની હતી). 43 ઈસુએ તેઓને કડક સૂચના આપી, જે કાંઈ બન્યું છે તે કોઈને કહેશો નહિ. તેને ખાવા માટે કાંઈક આપો.