25 ટોળામાં એક સ્ત્રી તે બાર વર્ષથી રકતસ્ત્રાવથી પીડાતી હતી. 26 ઘણાં ડોકટરોની સારવારમાં તેણે પોતાનું સવઁ ખરચી નાંખ્યાં છતાં, સારું થવાને બદલે તેની સ્થિતિ વધારે બગડી ગઈ હતી. 27 ઈસુ વિશે સાંભળીને ટોળામાં થઈને તે તેમની પાછળ આવી અને તેમના ઝભ્ભાને સ્પર્શ કયોઁ. 28 કેમકે તેણે વિચાયુઁ હતું કે: "જો હું માત્ર તેમના વસ્ત્રને જ સ્પર્શ કરું તો, પણ સાજી થઈશ." 29 તરત જ તેનો રકતસ્ત્રાવ બંધ થયો અને તેને શરીરમાં ખાતરી થઈ કે તે સાજી થઈ છે.
30 તરત જ ઈસુને ખબર પડી કે તેમના માંથી પરાક્રમ નીકળ્યું છે, તેમણે ટોળાં તરફ ફરીને પૂછયું. "મારા વસ્ત્રને કોણે સ્પર્શ કર્યો?"
31 શિષ્યોએ કહ્યું, "આટલા બધા લોકો તમારાં પર પડાપડી કરે છે," છતાં તમે પૂછો છો કે, "કોણે મને સ્પર્શ કયોઁ?"
32 એ કોણ કયુઁ તે જોવા, ઈસુએ ચારે તરફ નજર ફેરવી. 33 તે સ્ત્રી પોતાને જે થયું હતું તે જાણીને ભયથી ધ્રૂજીને આવીને તેની આગળ પડીને તેણે તેમને બધું સાચેસાચું કહી દીધું. 34 તેમણે તેને કહ્યું, "દીકરી, તારા વિશ્વાસથી તું સાજી થઈ છે, શાંતિએ જા ને રોગથી મુક્ત થા."