35 હજી ઈસુ તે સ્ત્રી સાથે વાત કરતા હતા, તે જ વખતે સભાસ્થાનના આગેવાન યાઈરસના ઘરેથી માણસો આવ્યા, "તેઓએ ખબર આપી કે દીકરી મૃત્યુ પામી છે, હવે ઈસુને તસ્દી આપવાની જરૂર નથી."
36 પરંતુ તેઓની વાત પ્રત્યે ધ્યાન આપ્યા સિવાય ઈસુએ કહ્યું, "તું ગભરાઈશ નહિ, માત્ર વિશ્વાસ રાખ."
37 પછી ઈસુએ ટોળાને ત્યાં અટકાવીને પિતર, યાકોબ અને યોહાન કે જે યાકૂબનો ભાઈ સિવાય બીજા કોઈને પોતાની સાથે આવવાં દીધા નહિ. 38 જયારે તેઓએ સભાસ્થાનનાં આગેવાનના ઘરમાં આવ્યા, ત્યારે ઈસુએ આવીને જોયું તો શોરબકોર મચી ગયો હતો. વિલાપ અને રડારોળ થઈ રહ્યાં હતાં. 39 ઈસુએ ઘરમાં જઈને લોકોને કહ્યું, "આટલો બધો શોરબકોર અને વિલાપ શા માટે! છોકરી મરી નથી ગઈ પણ ઊંઘે છે!" 40 તેઓએ તેમને હસી કાઢયાં.
ઈસુએ બધાને બહાર કાઢયા, તેઓના ગયા પછી છોકરીનાં માતાપિતાને અને ત્રણ શિષ્યોને લઈને, જે ઓરડીમાં તે હતી ત્યાં તે ગયા. 41 તેમણે તેનો હાથ પકડીને કહ્યું, "તાલીથાકૂમ!" જેનો અર્થ થાય છે, ("છોકરી, હું તને કહું છું, ઊઠ!"). 42 તરત તે ઊભી થઈ અને ચાલવા લાગી. તેઓ જોઈને આશ્ચર્યમાં ડૂબી ગયાં (તે છોકરી બાર વરસની હતી). 43 ઈસુએ તેઓને કડક સૂચના આપી, જે કાંઈ બન્યું છે તે કોઈને કહેશો નહિ. તેને ખાવા માટે કાંઈક આપો.