20 "વળી તેમણે કહ્યું, વ્યક્તિમાંથી જે નીકળે તે જ તેમને અશુધ્ધ કરે છે. 21 કારણ કે અંદરથી એટલે, વ્યક્તિનાં હ્રદયમાંથી ભૂંડા વિચારો, ચોરી, ખૂન, વ્યભિચાર, 22 લોભ, દુષ્ટતા, કપટ, અશુદ્ધતા, અદેખાઈ, નિંદા, અભિમાન અને દરેક પ્રકારની મૂર્ખતા બહાર નીકળે છે. 23 આ બધી ભૂંડી બાબતો અંદરથી આવે છે. તે વ્યક્તિને અશુધ્ધ કરે છે."
Publicidade