17 ટોળામાંથી એક માણસે જવાબ આપ્યો, "ગુરુજી, મારો દીકરો તમારી પાસે લાવ્યો છું, તેને મૂંગો આત્મા વળગ્યો હોવાથી તે બોલી શકતો નથી. 18 એ જયારે તેને પકડે છે, ત્યારે તેને જમીન પર પછાડે છે, તે મોંમાંથી ફીણ કાઢે છે, તે દાંત પીસે છે, ને તે નબળો થતો જાય છે; મેં તમારાં શિષ્યોને આત્મા કાઢવા વિનંતી કરી પણ તેઓ કાઢી ન શક્યા."
19 ઈસુએ જવાબ આપ્યો, "ઓ અવિશ્વાસી પેઢી, હું ક્યાંં સુધી તમારી સાથે રહીશ? હું કયાં સુધી ધીરજ રાખું? છોકરાંને મારી પાસે લાવો!"
20 તેઓ છોકરાંને તેમની પાસે લાવ્યાં, ઈસુને જોતાં તરત જ અશુધ્ધ આત્માએ છોકરાંને ભયંકર રીતે મરડી નાંખ્યો, તે નીચે પડી ગયો અને આળોટવા તથા મોંમાથી ફીણ કાઢવાં લાગ્યો.
21 ઈસુએ છોકરાનાં પિતાને પૂછયું, "એને કેટલાં સમયથી આવું થાય છે?" તેણે કહ્યું:
"નાનપણથી જ." 22 "તેણે તેને ઘણીવાર મારી નાંખવાં તે એને અગ્નિમાં કે પાણીમાં નાંખી દે છે, જો તમારાંથી કાંઈ થઈ શકે એમ હોય તો દયા કરી અમને મદદ કરો!"
23 ઈસુએ કહ્યું, "જો કાંઈ થઈ શકે તો? જે વિશ્વાસ કરે છે તેને સઘળું શકય છે."
24 તરત છોકરાંનો પિતા બોલી ઊઠયો, "મને વિશ્વાસ છે, મારો અવિશ્વાસ દૂર કરવા માટે મારી સહાય કરો."
25 જયારે ઈસુએ ટોળાને દોડતું આવતું જોઈને તેમણે અશુધ્ધ આત્માને ધમકાવ્યો. "ઓ બહેરાં મૂંગા આત્મા, હું તને હુકમ કરું છું, કે તેમાંથી બહાર નીકળ અને ફરી કદી તેનામાં પ્રવેશ કરીશ નહિ."
26 ત્યારે આત્માએ ચીસ પાડી, છોકરાને મરડી નાંખ્યો અને તે હિંસક રીતે તેનામાંથી નીકળી ગયો. છોકરો મૂએલાં જેવો થઈને ત્યાં પડી રહ્યો, લોકોએ કહ્યું કે તે "મરી ગયો છે." 27 પરંતુ ઈસુએ હાથ પકડીને તેને પગ પર ઊભો કયોઁ અને તે ઊભો થયો.