22 પોતે જ્ઞાની છે એવો દાવો કર્યા છતાં પણ તેઓ મૂર્ખ બન્યા. 23 અને અવિનાશી ઈશ્વરના મહિમાને બદલે નાશવંત માનવી, પશુ, પક્ષી અને પેટે ચાલનારાં પ્રાણીઓનાં આકારની મૂર્તિઓ બનાવી.
24 તેથી ઈશ્વરે તેઓના હ્રદયની દુર્વાસના પ્રમાણે જાતીય અપવિત્રતાને સોંપી દીધા. જેથી તેઓ એકબીજા સાથે તેમના શરીરોને ભ્રષ્ટ કરે. 25 તેઓએ ઈશ્વરના સત્યને બદલી તેઓએ જુઠાણાંને પસંદ કર્યું. તેઓએ સર્વનાં સર્જનહારની ભકિત કરવાને બદલે સર્જનહારે સર્જેલી વસ્તુઓની ભકિત કરી; જે સદાકાળ સ્તુતિપાત્ર છે. આમીન.
26 આના કારણે ઈશ્વરે તેઓને શરમજનક વાસનાઓને સોંપી દીધા. તેઓની સ્ત્રીઓ પણ કુદરતી જાતીય સબંધોને બદલે અસ્વભાવીક સબંધો બનાવ્યાં. 27 એ જ રીતે પુરુષોએ પણ સ્ત્રીઓ સાથે કુદરતી જાતીય સંબંધથી જોડાવાને બદલે એકબીજા માટે વાસનાથી સળગી ઊઠયાં. માણસને માણસની વિરુધ્ધમાં શરમજનક કૃત્ય કરીને તેઓએ પોતાની ભૂલની સજા ભોગવી.