14 આપણે જાણીયે છીએ કે નિયમ આત્મિક છે; પણ હું દૈહિક છું, અને પાપને ગુલામ તરીકે વેચાયેલો છું! 15 હું જે કરું છું તે હું સમજી શકતો નથી, હું જે કરવા ઈચ્છું છું તે હું કરી શકતો નથી, પરંતુ જે હું ધિક્કારું છું તે જ હું કરું છું. 16 અને જો હું જે કરવા માગતો નથી તે કરું છું, તો હું સ્વીકારુ છું કે નિયમ સારો છે. 17 તો હવે જે તે કરે છે તે હું પોતે નથી, પણ મારામાં રહેલું પાપ છે તે જ તે કરે છે.
Publicidade
Publicidade