વિશ્વાસમાં ટકવા માટેનું તેડું
19 તેથી ભાઈઓ અને બહેનો, ઈસુના રક્તથી આપણને પરમપવિત્રસ્થાનમાં પ્રવેશી શકીએ છીએ. 20 કેમકે પોતાના શરીરરૂપી પડદામાં થઈને તેમણે આપણે માટે નવો અને જીવનદાયી માર્ગ ખોલી નાંખ્યો છે, 21 અને આપણી પાસે ઈશ્વરના ઘર ઉપર એક મોટા યાજક છે. 22 તેથી દુષ્ટ અંતઃકરણથી છૂટવા સારું આપણા હ્રદયો પર છંટકાવ પામીને, તથા નિમઁળ પાણીથી શરીરને ધોઈને આપણે ખરાં હૃદયથી અને પૂરેપૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને ઈશ્વર પાસે જઈએ.