10 કેમકે તેઓએ તો થોડા સમય સુધી પોતાને જેમ યોગ્ય લાગ્યું તેમ આપણને કેળવવા માટે શિક્ષા કરી, પરંતુ ઈશ્વરની શિક્ષા હંમેશા હિતકારક હોય છે. જેથી આપણે તેમની પવિત્રતાના ભાગીદાર બનીએ. 11 શિક્ષા થાય ત્યારે તરત આનંદકારક લાગતી નહિ પણ દુઃખદાયક લાગે છે, પણ પાછળથી તો તે કસાયેલાઓને ન્યાયીપણાનાં શાંતિદાયક ફળ આપે છે.