12 કેમકે ઈશ્વરનાં વચન જીવંત અને સક્રિય છે, તે કોઇ પણ બેધારી તલવાર કરતા પણ તીક્ષ્ણ હથિયાર કરતાં પણ તીક્ષ્ણ છે. તે જીવ અને આત્માને, સાંધા અને મજ્જાને જુદાં પાડે એટલે સુધી વીંધનારો છે, અને હ્રદયના વિચારો અને વલણનો ન્યાય કરે છે. 13 આખી સૃષ્ટિમાં તેમની સમક્ષ કંઈ પણ ગુપ્ત નથી, જેમને આપણે હિસાબ આપવાનો છે તેમની નજર સમક્ષ સઘળું ખુલ્લું છે.