ઈસુ મહાન પ્રમુખયાજક
14 તેથી, આપણી પાસે એક મહાન યાજક છે. જે સ્વર્ગમાં ગયેલાં છે, એટલે ઈશ્વરના પુત્ર ઈસુ મસીહ, માટે આપણે જે વિશ્વાસનો દાવો કરીએ છીએ તે દ્રઢતાથી પકડી રાખીએ. 15 કેમકે આપણી પાસે એવો પ્રમુખયાજક નથી જે આપણી નિર્બળતાઓ પ્રત્યે સહાનુભૂતિ બતાવી ન શકે, પણ આપણી જેમ દરેક પ્રકારે પરીક્ષણો પામેલા છતાં તેઓ નિષ્પાપ રહ્યા.