16 વસિયત નામાંના કિસ્સામાં, તે કરનારનું મરણ પુરવાર કરવું જરૂરી છે. 17 કેમકે વસિયતનામું કરનાર વ્યકિત મરણ પામે પછી જ તેનો અમલ થઈ શકે છે. જયાં સુધી તે વ્યકિત જીવે છે ત્યાં સુધી તેનો અમલ થતો નથી. 18 એ જ કારણથી પહેલો કરાર પણ રક્ત વિના અમલમાં આવ્યો ન હતો. 19 જયારે મોશેએ નિયમશાસ્ત્ર પ્રમાણે દરેક આજ્ઞા સવઁ લોકોને કહી સંભળાવ્યા પછી તેણે વાછરડાંનું લોહી, પાણી અને કિરમજી ઊન તેણે ઝૂફાની ડાળી સાથે લીધું અને તેણે ઓળિયા પર તથા લોકો પર છાંટયું. 20 તેમણે કહ્યું, "આ કરારનું રક્ત છે, જેની આજ્ઞા પાળવાનું ઈશ્વરે કહ્યું છે."
Publicidade