યરુશાલેમમાં ઈસુનો રાજા તરીકે પ્રવેશ
1 જયારે તેઓ યરુશાલેમની નજીક જૈતુન પહાડ આગળ બેથફગે તથા બેથાનિયા પાસે આવ્યા, ઈસુએ તેમનાં બે શિષ્યોને મોકલ્યા, 2 ઈસુએ તેઓને કહ્યું, "તમારી આગળનાં ગામમાં જાઓ, અને તેમાં પેસતાં જ ત્યાં તમને એક વછેરો બાંધેલો જોવા મળશે, તેના ઉપર કોઈએ કદી સવારી કરી નથી, તેને છોડી ને અહીં લાવો. 3 જો કોઈ તમને પૂછે કે, ‘આમ શા માટે કરો છો?’ તો કહેજો કે, ‘પ્રભુને તેની જરૂર છે, અને થોડા સમય પછી તેને અહીં પાછું મોકલી આપશે.’ "
4 તેઓ ગયાં અને બહાર રસ્તા પર બહાર એક વછેરો બાંધેલો મળ્યો. જયારે તેઓ તેને છોડતાં હતાં, 5 ત્યારે ત્યાં પાસે ઊભેલાઓમાંથી કેટલાકે પૂછયું, "તમે શું કરો છો? વછેરાને છોડો છો?" 6 ઈસુના કહ્યાં પ્રમાણે તેઓએ જવાબ આપ્યો, અને લોકોએ તેઓને જવા દીધા. 7 જયારે તેઓ વછેરાને ઈસુ પાસે લાવ્યાં, અને પોતાનાં ઝભ્ભા તેના ઉપર પાથર્યાં પછી તેઓ તેના પર બેઠા. 8 ઘણા લોકોએ રસ્તા ઉપર પોતાનાં ઝભ્ભા પાથયાઁ, જયારે બીજાઓએ ખેતરોમાંથી ડાળીઓ કાપી લાવીને પાથરી. 9 જેઓ તેમની આગળ હતાં અને જેઓ તેમની પાછળ ચાલતાં બૂમો પાડતા,
"હોસાન્ના!"
"પ્રભુને નામે જે આવે છે તેને ધન્ય હો."
10 "આપણા પિતા દાવિદનું આવનાર રાજ્ય ધન્ય છે."
"ઉચ્ચ સ્વગઁમાં!" હોસાન્ના!
11 ઈસુએ યરુશાલેમમાં પ્રવેશ કર્યો અને મંદિરનાં આંગણામાં ગયા, તેમણે ચારેબાજુ નજર નાંખી બધું જોયું, પરંતુ મોડું થયું હોવાથી બાર શિષ્યો સાથે તે બેથાનિયા ચાલ્યા ગયા.