20 સવારમાં શિષ્યોએ રસ્તે જતાં, પેલી અંજીર જોઈ તે મૂળમાંથી સુકાઈ ગઈ હતી. 21 તે પિતરે યાદ કરીને, ઈસુને કહ્યું, "ગુરુજી જુઓ! તમે જે અંજીરને શાપ આપ્યો હતો તે સુકાઈ ગઈ."
22 ઈસુએ જવાબ આપ્યો, "ઈશ્વર પર વિશ્વાસ રાખો, 23 હું સાચે જ કહું છું કે જો કોઈ આ પર્વતને કહે કે તે ‘ખસી જઈને સમુદ્રમાં નંખાય,’ અને મનમાં સંદેહ રાખ્યાં વગર એ વિશ્વાસ રાખશો તો જે તેમણે કહ્યું છે તે પ્રમાણે થશે જ, એ એમનાં માટે થશે. 24 એ માટે હું તમને કહું છું તમે પ્રાર્થનામાં જે કાંઈ માંગો છો, તે તમને મળી ચૂકયું છે એવો વિશ્વાસ રાખો, અને તે તમારું થશે. 25 અને જયારે તમે ઊભા રહીને પ્રાર્થના કરો, ત્યારે જો તમારે કોઈની વિરુદ્ધ કાંઈ હોય તો તેમને માફ કરો, જેથી આકાશમાંના તમારાં પિતા પણ તમારાં અપરાધ માફ કરે.