24 "પણ તે દિવસોમાં એ વિપતિ પછી,
" ‘સૂર્ય અંધકારરૂપ થઈ જશે,
અને ચંદ્ર તેનો પ્રકાશ આપશે નહિ;
25 તારાઓ આકાશમાંથી ખરશે.
અને આકાશી મંડળો હલાવાશે.’
26 "તે સમયે લોકો માણસના દીકરાને મહાસામથ્યઁ અને મહિમાસહિત વાદળામાં આવતો જોશે. 27 અને તેઓ પોતાના દૂતોને મોકલીને, તેઓ પૃથ્વીનાં છેડાથી આકાશના છેડા સુધી ચારે દિશામાંથી પોતાના પસંદ કરેલાંઓને એકત્ર કરશે.