11 પણ તમે કહો છો, ‘કે જો કોઇ જાહેર કરે છે કે તેના માતાપિતાને મદદ કરવા માટે જેનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે મેં ઈશ્વરને કુરબાન (એટલે ઇશ્વરને સમઁપણ) કરી દીધું છે.’ 12 તો તમે તેના માતાપિતાને સારું કંઈ કરવા દેતા નથી. 13 આ પ્રમાણે તમારાં રિતરીવાજોને ચાલુ રાખવા તમે ઈશ્વરની આ આજ્ઞા રદ કરો છો, અને એવા અનેક કામો તમે કરો છો."
14 ફરી ઈસુએ ટોળાને બોલાવીને કહ્યું, "તમે સઘળાં મારું સાંભળો અને સમજો. 15 બહારથી વ્યક્તિમા જઈને કંઈ તેમને અશુધ્ધ કરી શક્તું નથી, પણ વ્યક્તિમાંથી જે નીકળે છે તે જ તેમને અશુદ્ધ કરે છે.