બેથસૈદામાં અંધને સાજાપણું
22 પછી તેઓ બેથસૈદા આવ્યા, ને કેટલાક લોકો એક અંધજનને ઈસુ પાસે લાવ્યાં અને ઈસુને વિનંતી કરી કે તે તેને સ્પર્શ કરે. 23 ઈસુ તેના હાથ પકડીને તેને ગામ બહાર લઈ ગયાં. તે તેની આંખો પર થૂંકીને પોતાના હાથ તેના પર મૂક્યાં, ઈસુએ પૂછયું, "શું તું કાંઈ જોઈ શકે છે?"
24 તેણે ઊંચું જોઈને કહ્યું, "હા, હું માણસોને જોઉં છું, તેઓ ચાલતાં વૃક્ષ જેવા દેખાય છે."
25 ઈસુએ ફરીથી તે માણસની આંખો પર હાથ મૂક્યાં, ત્યારે તેની આંખો ઊઘડી ગઈ, તેની દ્રષ્ટી પાછી મળી, અને તે બધું સ્પષ્ટ જોવા લાગ્યો. 26 ઈસુએ તેને ઘરે મોકલતા કહ્યું, "ગામમાં પણ જઈશ નહિ."