34 પછી તેમણે શિષ્યોની સાથે ટોળાને બોલાવીને કહ્યું, "જે કોઈ મારો શિષ્ય થવા ચાહે તેણે પોતાનો નકાર કરવો, અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું. 35 જે કોઈ પોતાનો જીવ બચાવવાં ચાહે છે તે તેને ગુમાવી દેશે, પરંતુ જે કોઈ મારે લીધે અને સુસમાચારને લીધે જે પોતાનો જીવ ગુમાવશે, તે તેને બચાવશે. 36 કોઈ આખું જગત મેળવે અને પોતાનો આત્મા ગુમાવે તો તેથી તેને શો લાભ? 37 અથવા કોઈ પોતાના આત્માને બદલે શું આપશે? 38 જો કોઈ મારે લીધે અને વચનને લીધે આ વ્યભિચારી અને પાપી પેઢીમાં શરમાશે, તો તેને લીધે માણસનો દીકરો પણ પોતાના પિતાનાં મહિમામાં પવિત્ર દૂતો સાથે આવશે, ત્યારે શરમાશે."