19 મારા પ્રિય મિત્રો, બદલો ન લો, પણ ઇશ્વરના કોપને માટે માગઁ મૂકો, કેમકે લખેલું છે કે, "પ્રભુ કહે છે કે બદલો વાળવો મારું કામ છે હું બદલો લઈશ."
20 એને બદલે:
તારો દુશ્મન ભૂખ્યો હોય તો તેને ખવડાવ,
જો તે તરસ્યો હોય તો તેને પાણી આપ;
આમ કરવાથી તું તેના માથા પર ધગધગતા અંગારાના ઢગલા કરશે.
21 ભૂંડાથી તું હારી ન જા, પરંતુ સારાથી ભૂંડાનો પરાજય કર.