ઉચ્ચ અધિકારીઓને આધીન
1 દરેક જણે ઉચ્ચ અધિકારીઓને આધીન રહેવું, કેમકે કે ઈશ્વરે જે સત્તા સ્થાપી છે તે સિવાય કોઇ સત્તા નથી. જે સત્તાઓ અસ્તિત્વમાં છે તે ઈશ્વરે સ્થાપી છે. 2 તેથી જે કોઇ સત્તાની વિરુધ્ધ બળવો કરે છે તે ઇશ્વરે જે સ્થાપન કર્યુ છે તેની વિરુધ્ધ થાય છે, અને જેઓ એવુ કરે છે તેના પર શિક્ષા આવી પડશે.