5 કોઈ એક તો અમુક દિવસને બીજા દિવસ કરતા વધુ પવિત્ર માને છે; અને બીજા દરેક દિવસને સરખા ગણે છે. દરેકે પોતપોતાના મનમાં સંપૂણઁ ખાતરી કરવી. 6 જે કોઇ એક દિવસને ખાસ માને છે, તે પ્રભુને માટે કરે છે. જે કોઇ માંસ ખાય છે તે પ્રભુને માટે કરે છે, કેમકે તેઓ પ્રભુનો આભાર માને છે. અને જે કોઇ નથી ખાતું તે પણ પ્રભુને માટે કરે છે અને પ્રભુનો આભાર માને છે.
Publicidade
Publicidade