7 જેમ મસીહે તમારો સ્વીકાર કર્યો છે, તેમ તમે પણ એકબીજાનો સ્વીકાર કરો, જેથી ઈશ્વરનો મહિમા થાય. 8 કારણ કે હું તમને કહું છું કે મસીહ ઇશ્વરનાં સત્ય માટે યહૂદિઓનાં સેવક બન્યાં જેથી પુવઁજોને આપેલા વચન પૂણઁ થાય. 9 અને, વળી, વિદેશીઓ પણ ઈશ્વરની દયાને લીધે ઇશ્વરનો મહિમા કરે. જેમ લખેલું છે:
"તેથી હું વિદેશીઓમાં તમારી સ્તુતી કરીશ;
હું તમારા નામનાં સ્તુતિ ગીત ગાઇશ."
10 ફરીથી, તે કહે છે,
"ઓ વિદેશીઓ, તમે તેના લોકો સાથે આનંદ કરો."
11 અને ફરીથી,
"બધા વિદેશીઓ, પ્રભુની સ્તુતિ કરો;
દરેક લોકો તેમનો મહિમા કરો."
12 અને વળી, યશાયા કહે છે કે,
"યિશાઈના જડમાંથી એક નીકળશે,
જે પ્રજાઓ પર રાજ કરવાને માટે ઉઠશે;
તેના પર વિદેશીઓ આશા રાખશે."