ઈશ્વરનો સાચો ન્યાય
1 એ માટે, બીજાનો ન્યાય કરનાર, તમારી પાસે કંઇ બહાનું નથી, કેમકે જયારે તમે બીજાને દોષિત ઠરાવો છો, ત્યારે તમે પોતે જ દોષિત ઠરો છો, કારણ કે તમે ન્યાય કરનારાઓ પણ એ જ કામો કરો છો 2 હવે આપણે જાણીએ છીએ કે, એવા કામ કરનારાઓ વિરુધ્ધ ઇશ્વરનો ન્યાય સત્ય પર આધારીત છે. 3 તો જયારે એક માનસ તરીકે તેઓનો ન્યાય કરે છે અને છતાં જાતે એવાં કામો કરે છે, ત્યારે શું તું એમ માને છે કે તું ઈશ્વરના ન્યાયથી બચી જઈશ?