28 અને આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વર પર પ્રેમ રાખે છે, અને જેઓ તેમના હેતુ પ્રમાણે બોલાવાયેલા છે તેઓના ભલા માટે ઈશ્વર બધી બાબતોમાં કામ કરે છે. 29 કેમકે જેમને ઈશ્વર અગાઉથી જાણતા હતા તેઓને તેમણે પોતાના દીકરાની પ્રતિમા પ્રમાણે થવાનું અગાઉથી નક્કી કયુઁ હતું, જેથી તે ઘણાં ભાઈઓ અને બહેનોમાં પ્રથમજનિત થાય. 30 ઈશ્વરે આપણને પસંદ કર્યા અને તેમની પાસે બોલાવ્યા. જયારે આપણે તેમની પાસે આવ્યા ત્યારે; તેમણે આપણને દોષમુકત જાહેર કર્યા, મસીહની સર્વ ભલાઈથી ભરપૂર કર્યા; પોતાની સાથે સીધા સંબંધમાં સ્થાપિત કર્યા અને આપણને તેમના મહિમાના ભાગીદાર બનાવવાનું વચન આપ્યું.
Publicidade
Publicidade