બેબિલોનના પતન પર ત્રણ ગણું હાલેલુયા
1 એ પછી સ્વર્ગમાં મોટા લોકોના જનસમુદાયની મોટી વાણી સંભળાઈ:
"હાલેલુયા!
તારણ અને મહિમા અને પરાક્રમ આપણા ઈશ્વરના છે,
2 કેમકે તેમના ન્યાયચુકાદા યોગ્ય તથા સત્ય છે,
તેમણે તે મહાન વેશ્યાને દોષિત ઠેરવી છે,
જેણે પોતાના વ્યભિચારથી પૃથ્વીને ભ્રષ્ટ કરી.
તેમણે તેની પાસેથી પોતાના સેવકોના લોહીનો બદલો લીધો છે."
3 તેઓએ ફરીથી પોકારીને કહ્યું:
"હાલેલુયા!
તેનો ધુમાડો સદાસવઁકાળ ઉપર ચઢે છે."