સાર્દિસમાંની મંડળીને
1 "સાર્દિસમાંની મંડળીના દૂતને લખ:
જેને ઈશ્વરના સાત આત્માઓ અને સાત તારાઓ છે, તે આ વાતો કહે છે.
તારા કામ હું જાણું છું; તું જીવંત તરીકેની પ્રતિષ્ઠા ધરાવે છે, પણ તું મૂએલો છે. 2 હવે જાગૃત થા! જેઓ બાકી છે અને મરણ પામવાની અણી પર છે તેઓને દ્રઢ કર, કેમકે મેં તારા કામ મારા ઈશ્વરની નજરમાં અધૂરા જોયા છે.