35 પછી તમારા વિશ્વાસનો મોટો બદલો જે તમને મળવાનો છે, તેને નાંખી ન દો.
36 ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વત્યાઁ પછી તમને વચનનું ફળ મળે, માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે. 37 કેમકે, "થોડા સમય પછી,
જે આવે છે તે જલ્દી આવશે,
અને વિલંબ નહિ કરે."
38 અને,
"પણ મારો ન્યાયી વિશ્વાસથી જીવશે.
જો તે પાછો હઠી જાય
તો તેથી મને આનંદ થશે નહિ."
39 પરંતુ આપણે પાછા હઠી જનારામાંનાં નાશ પામનાર લોકો જેવા નથી, પણ જેમને વિશ્વાસ અને તારણ છે તેમના જેવા છે.