મસીહનું રક્ત
11 પણ મસીહ જયારે સારી બાબતો સંબંધી પ્રમુખયાજક તરીકે આવ્યા, ત્યારે જે માનવી હાથોથી બનાવેલો નહિ, જે આ સૃષ્ટિનો ભાગ નથી એવા વધુ મહાન અને સંપૂર્ણ એવા મંડપમાં પ્રવેશ્યા. 12 તેઓ બકરાં કે વાછરડાંના રકતથી પ્રવેશ્યા નહિ; પણ પોતાના રકત દ્રારા એક જ વાર પરમપવિત્રસ્થાનમાં પ્રવેશ્યા, આમ સનાતન ઉધ્ધાર મેળવ્યો.