ઈસુ મંદિરનાં આંગણાને શુદ્ઘ કરે છે
12 બીજે દિવસે જયારે તેઓ બેથાનિયાથી નીકળ્યાં પછી, ઈસુ ભૂખ્યાં થયા. 13 થોડે દૂર તેમણે પુષ્કળ પાંદડાંથી છવાયેલી એક અંજીર જોઈ, કદાચ તેના પરથી ફળ મળે માટે જયારે તેઓ ત્યાં ગયા. ત્યારે પાંદડાં વિના કાંઈ મળ્યું નહિ, કારણ અંજીરની મોસમને હજી વાર હતી. 14 પછી તેમણે ઝાડને કહ્યું, "હવે પછી તારા પરથી કદી કોઈ ફળ ન ખાઓ." અને તેમના શિષ્યોએ એ સાંભળ્યું.