4 તો, મારા ભાઈઓ અને બહેનો, મસીહના શરીર દ્ગારા તમે પણ આ જ રીતે નિયમશાસ્ત્રને આધીન મૃત્યું પામ્યા, જેથી તમે બીજાના એટલે, જે મરણમાંથી સજીવન કરવામાં આવ્યા છે તેમના થાઓ. જેથી આપણે ઇશ્વરને માટે ફળ આપી શકીએ. 5 પણ જયારે આપણે દેહના રાજ્યમાં હતા, ત્યારે નિયમ વડે ઉત્તેજિત પાપી વાસનાઓ આપણામાં કામ કરતી હતી, જેથી આપણે મરણને માટે ફળ ઉપજાવિએ, 6 પરંતુ હવે, જેના બંધનમાં હતો, તેના માટે મૃત્યું પામ્યા, એટલે હવે આપણે નિયમથી મુક્ત થયા છીએ જેથી આપણે પવિત્ર આત્માની નવીન પધ્ધતિથી સેવા કરીએ, અને નિયમશાસ્ત્રની જૂની પધ્ધતિથી નહિ.
Publicidade