4 તો, મારા ભાઈઓ અને બહેનો, મસીહના શરીર દ્ગારા તમે પણ આ જ રીતે નિયમશાસ્ત્રને આધીન મૃત્યું પામ્યા, જેથી તમે બીજાના એટલે, જે મરણમાંથી સજીવન કરવામાં આવ્યા છે તેમના થાઓ. જેથી આપણે ઇશ્વરને માટે ફળ આપી શકીએ. 5 પણ જયારે આપણે દેહના રાજ્યમાં હતા, ત્યારે નિયમ વડે ઉત્તેજિત પાપી વાસનાઓ આપણામાં કામ કરતી હતી, જેથી આપણે મરણને માટે ફળ ઉપજાવિએ, 6 પરંતુ હવે, જેના બંધનમાં હતો, તેના માટે મૃત્યું પામ્યા, એટલે હવે આપણે નિયમથી મુક્ત થયા છીએ જેથી આપણે પવિત્ર આત્માની નવીન પધ્ધતિથી સેવા કરીએ, અને નિયમશાસ્ત્રની જૂની પધ્ધતિથી નહિ.
Publicidade
Publicidade