13 શું મસીહ વિભાજીત થયા છે? શું પાઉલ તમારાંં માટે ક્રૂસે જડાયો? શું પાઉલને નામે તમે બાપ્તિસ્મા પામ્યા છો? 14 હું ઈશ્વરનો આભાર માનું છું કે મેં ક્રીસ્પસ અને ગાયસ સિવાય બીજા કોઈને બાપ્તિસ્મા આપ્યું નથી. 15 જેથી એવું કોઈ ન કહી શકે કે તમે મારા નામે બાપ્તિસ્મા પામ્યા હતા. 16 (હા, મેં સ્તેફનાસના કુટુંબને પણ બાપ્તિસ્મા આપ્યું હતું. એ સિવાય બીજા કોઈને મેં બાપ્તિસ્મા આપ્યું હોય એવું મને યાદ નથી.) 17 કારણ કે બાપ્તિસ્મા આપવાં માટે મસીહે મને મોકલ્યો નથી. પણ સુસમાચાર પ્રગટ કરવા જ્ઞાનને વાકછટાથી નહિ, રખેને મસીહના ક્રૂસનુ સામથ્યઁ વ્યથઁ જાય.
Publicidade
Publicidade