7 પવિત્ર આત્માનું પ્રકટીકરણ દરેકને સામાન્ય હિત માટે આપવામાં આવ્યું છે. 8 આત્માથી એક જણને ડહાપણની વાતો આપેલી છે, એ જ આત્માથી બીજાને જ્ઞાનની વાતો, 9 બિજાને એ જ આત્માથી વિશ્વાસનું દાન, કોઈને એ જ આત્માથી માંદાઓને સાજાં કરવાનું દાન; 10 કેટલાકને ચમત્કારો કરવાનું પરાક્રમ, કેટલાકને પ્રબોધનું, અને કેટલાકને આત્માઓની પારખ કરવાનું દાન, વળી તે કેટલાકને વિવિધ ભાષાઓ બોલવાનું, અને કેટલાકને ભાષાંતર કરવાનું દાન બક્ષે છે. 11 આ બધું એક જ અને તે જ આત્માનું કાયઁ છે, અને તે પોતાની ઇચ્છા પ્રમાણે પ્રત્યેકને કૃપાદાન વહેચી આપે છે.
Publicidade
Publicidade