11 હવે હું જગતમાં રહેવાનો નથી, પણ તેઓ હજી જગતમાંં છે, હું તમારી પાસે આવું છું, પવિત્ર પિતા, જેઓને તમે મને સોંપ્યા છે, તેઓને તમારું નામ, જે તમે મને આપ્યું છે તે વડે બધાંને સંભાળો કે જેથી જેમ આપણે એક છીએ તેમ તેઓ એક થાય. 12 જયારે હું તેમની સાથે હતો, ત્યારે મે તેઓનું રક્ષણ કર્યું અને જે નામ તમે મને આપ્યું તેમાં તેઓને સુરક્ષિત રાખ્યા છે. અને શાસ્ત્રવચન પૂણઁ થવા સારું જે નાશ પામવાનો નિણઁય કરવામાં આવ્યો હતો તે સિવાય કોઇનો નાશ થયો નથી.