14 પર્વ અધવાર્યું ત્યારે ઈસુએ મંદિરનાં આંગણાંમાં જઈને શિક્ષણ આપ્યું, 15 યહૂદીઓ આશ્ચર્યચકિત થઈને પૂછવાં લાગ્યા, "આ માણસ કદી પણ શીખ્યો નથી, છતાં તેણે આટલું બધુ જ્ઞાન કેવી રીતે મેળવ્યું?"
16 ઈસુએ જવાબ આપ્યો, "મારું શિક્ષણ માંરુ પોતાનું નથી, પણ જેણે મને મોકલ્યો છે તેમના તરફથી આવે છે. 17 જે કોઇ ઈશ્વરની ઇચ્છા પૂર્ણ કરવા ચાહે છે, તો તે સમજશે કે મારું શિક્ષણ ઈશ્વર તરફથી છે કે હું પોતે બોલું છું. 18 જે કોઇ પોતા વિશે બોલે છે, તે પોતાનો મહિમા શોધે છે, પણ જે તેમના મોકલનારનો મહિમા શોધે છે તે જ ખરો માણસ છે. અને તેનામાં કાંઈ અન્યાય નથી.