ઈસુ જન્મથી અંધ માણસને સાજો કરે છે
1 જયારે તેઓ જતાં હતા, ત્યારે તેમણે એક જન્મથી અંધ માણસને જોયો. 2 તેમના શિષ્યોએ તેમને પૂછયું, "રાબ્બી કોના પાપે, આ માણસના કે તેનાં માબાપનાં, કે તે અંધ જન્મ્યો?"
3 ઈસુએ કહ્યું, "આ માણસના કે તેના માબાપનાં પાપે નહિ, પણ તે એટલા માટે કે ઈશ્વરના કાયોઁ તેનાથી પ્રગટ થાય. 4 જયાં સુધી દિવસ કહેવાય છે, ત્યાં સુધી આપણે તેમના કામ કરવા જોઈએ. રાત આવે છે જયારે કોઇ કામ નઇ કરી શકે. 5 જયારે હું જગતમાં છું, ત્યાં સુધી હું જગતનો પ્રકાશ છું."
6 આ કહી રહ્યા પછી, તેમણે જમીન પર થૂંકી, લાળથી તેમણે થોડો કાદવ બનાવ્યો, અને માણસની આંખો પર લગાવ્યો. 7 તેને કહ્યું, "જા, શિલોઆહના કુંડમાં જઈને ઘો." (શિલોઆહ એટલે મોકલાયેલ.) તેથી તે માણસ ગયો અને ધોઈ, અને તે દેખતો થઈને ઘરે આવ્યો.