24 અને જ્યારે તેમણે આભાર માન્યો. ત્યારે તેમણે ભાંગીને કહ્યું, "આ મારું શરીર છે જે તમારે માટે છે. મારી યાદગીરીને માટે આ કરો." 25 એ જ રીતે, ભોજન કર્યા પછી તેમણે પ્યાલો લીધો અને કહ્યું, "આ પ્યાલો મારા રક્તમાનો નવો કરાર છે. જેટલી વાર તમે પીઓ છો, તેટલી વાર મારી યાદગીરીને સારું તે કરો." 26 કારણ કે જયારે તમે આ રોટલી ખાઓ છો ત્યારે અને આ પ્યાલામાંથી પીઓ છો ત્યારે તમે પ્રભુના આવતા સુધી તેમનું મરણ પ્રગટ કરો છો.
27 તેથી જો કોઈ અયોગ્ય રીતે રોટલી ખાય અને આ પ્યાલામાંથી પીએ તો તે પ્રભુના શરીર અને લોહીની વિરુધ્ધ પાપ કરે છે. 28 માટે આ રોટલી ખાતાં પહેલાં અને આ પ્યાલામાંથી પીતાં પહેલાં દરેકે પોતાની પરીક્ષા કરવી.