એક શરીરમાં એકતા અને વિવિધતા
12 જેમ શરીર એક છે, અને તેનાં ઘણાં બધાં અવયવો છે, પણ બધા ભાગો મળીને એક શરીર બને છે, તે જ પ્રમાણે મસીહ વિશે છે. 13 કેમકે યહૂદી, કે વિદેશી, ગુલામ કે સ્વતંત્ર, આપણ સવઁ એક આત્માનું બાપ્તિસ્મા પામીને એક શરીરરૂપ બન્યા, અને આપણ સવઁને એક જ આત્માનું પાન કરાવવામાં આવ્યું છે. 14 શરીરને એક નહિ પણ અનેક અવયવોથી બનાવવામાં આવ્યું છે.
15 હવે જો પગ કહે કે, "કેમકે હું હાથ નથી એટલે હું શરીરનો નથી." તો તેથી તે શરીરથી મટી જતો નથી? 16 વળી કાન કહે કે, "કેમકે હું આંખ નથી એટલે હું શરીરનો નથી." તો તેથી શું તે શરીરનો ભાગ નથી? 17 જો આખું શરીર આંખ હોય તો સંભળાય કેવી રીતે? અથવા જો આખું શરીર કાન હોય તો ગંધ પરખાય કેવી રીતે? 18 પરંતુ ખરેખર ઈશ્વરે આપણા શરીરનાં ભાગોને ગોઠવ્યાં છે કે તેમની ઇચ્છા પ્રમાણે બધા અવયવોને ગોઠવેલાં છે. 19 જો બધા એક જ અવયવ હોત તો શરીર કયાં હોત? 20 આમ ધણાં અવયવો હોવા છતાં શરીર એક જ છે.
21 આંખ હાથને કહી શકે નહિ કે, "મારે તારી જરૂર નથી," વળી માથું પગને કહી શકે નહિ, "કે મારે તારી જરૂર નથી." 22 એનાંથી ઉલટું, જે અવયવો નબળાં દેખાય છે, તેઓ શરીર માટે અતિ આવશ્યક છે. 23 જે અવયવોને આપણે ઓછાં મહત્વનાં માનીએ છીએ તેઓને આપણે વધુ માન આપીએ છીએ, જે અવયવોને ગુપ્ત રાખવાનાં હોય છે તેઓની આપણે વિશેષ કાળજી રાખીએ છીએ, 24 તેથી દેખીતા અવયવોને ખાસ કાળજીની જરૂર નથી, પણ ઈશ્વરે શરીરને એવી રીતે ગોઠવ્યું છે કે, જે ભાગોને ઓછા મહત્વનાં છે તેમને વધારે માન આપ્યું છે. 25 જેથી શરીરમાં ફાટફૂટ ન પડે, પણ આને લીધે બધા અવયવો હળીમળીને રહે. 26 જો એક અવયવ દુઃખી થાય તો તેની સાથે તમામ અવયવને દુઃખ થાય છે. અને એક અવયવને માન મળે તો તમામને માન મળે છે.
27 હવે તમે મસીહનું શરીર છો અને તમે બધાં તેનાં અવયવ છો.