12 આપણે જગતનો આત્મા નહિ, પણ જે આત્મા ઈશ્વર તરફથી છે તે પામ્યા છે. જેથી આપણે સમજી શકીએ કે ઈશ્વરે આપણને વિના મૂલ્યે શું આપ્યું છે. 13 માનવી જ્ઞાન દ્ઘારા શીખવેલી ભાષામાં નહિ, પણ આત્મા દ્ઘારા શીખવેલા શબ્દોથી આત્મિક વાસ્તવિકતાઓ સમજાવીએ છીએ. 14 જે વ્યકિતમાં આત્મા નથી તે ઈશ્વરના આત્મા તરફથી આવતી વાતો સ્વીકારતો નથી, પણ તેને તે મૂર્ખતા ભરેલી લાગે છે. અને તેને સમજી શકતો નથી કેમકે તેઓ ફકત આત્માથી જ પારખી શકાય છે.
Publicidade
Publicidade