વિશ્વાસીઓમાં મુકદમો
1 તમારાંમાંના કોઈને બીજા સાથે તકરાર થઇ હોય, તો શું તમે તેને પ્રભુના લોકોની પાસે જવાને બદલે અધમીઁઓની પાસે ન્યાય માટે લઇ જવાની હિંમત કરો છો? 2 પ્રભુના લોકો જગતનો ન્યાય કરશે એ શું તમે જાણતા નથી? અને જો તમારે જગતનો ન્યાય કરવાનો હોય, તો શું તમે નજીવી બાબતોનો ન્યાય કરવા યોગ્ય નથી? 3 આપણે દૂતોનો પણ ન્યાય કરવાનાં છીએ એ શું તમે જાણતા નથી? તો પછી આ જીવનની બાબતો તો કેટલી વિશેષ છે! 4 માટે જો તમને આવી બાબતો વિષે તકરાર થાય, તો શું તમે એવા લોકો પાસે નિણઁય માંગો છો જેમનાં જીવનનો મંડળીમાં તિરસ્કાર કરવામાં આવે છે? 5 હું તમને શરમિંદા બનાવવાં માગું છું. ભાઈ ભાઈની વચ્ચે ન્યાય કરી શકે એવો એક પણ બુધ્ધિમાન માણસ શું તમારી મંડળીમાં નથી!