15 તમારાંં શરીરો મસીહના અવયવો છે એ શું તમે જાણતા નથી? તો શું હું મસીહનાં અંગોને વેશ્યાનાં અંગો બનાવું? ના કદી નહિ! 16 જો કોઈ માણસ વેશ્યાની સાથે જોડાય છે તો તે એક દેહ બને છે, એ શું તમે નથી જાણતા? કેમકે કહે છે તેમ, "તેઓ બન્ને એક દેહ બની જશે." 17 પણ જે કોઇ પ્રભુ સાથે જોડાય છે તે આત્મામાં તેમની સાથે એક થાય છે.
18 વ્યભિચારથી નાશો. માણસ જે બીજા બધા પાપ કરે છે તે શરીરની બહાર છે પણ જે કોઇ વ્યભિચારનું પાપ કરે છે તે પોતાના શરીરની વિરુધ્ધનું પાપ કરે છે. 19 શું તમે નથી જાણતા કે તમારું શરીર પવિત્ર આત્માનું મંદિર છે, જે તમારામાં રહે છે અને જે તમને ઈશ્વર તરફથી મળ્યું છે? તમે તમારા પોતાના નથી; 20 તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા હતા. તેથી તમારા શરીર વડે ઈશ્વરને માન આપો.