9 શું તમે નથી જાણતા કે દુષ્ટ લોકોને ઈશ્વરના રાજ્યમાં વારસો મળશે નહિ? છેતરાતા નહિ: લંપટો, મૂર્તિપૂજકો, વ્યભિચારીઓ, સજાતીય સંબંધ ધરાવનારાઓ, 10 ચોરી, લોભ કરનારાં, દારૂડિયા, નિંદાખોરો અને લુંટ કરનારાઓનો ભાગ ઈશ્વરના રાજ્યમાં નથી. 11 તમારાંમાંના કેટલાક એવા જ હતા. પણ તમે પ્રભુ ઈસુ મસીહ અને આપણા ઈશ્વરના આત્મા દ્વારા શુધ્ધ થયા, તમને પવિત્ર કરી ન્યાયી ઠરાવ્યા.
Publicidade