ઈસુનું તેમના શિષ્યોને દશઁન
19 અઠવાડિયાને પહેલે દિવસે સાંજે જયારે શિષ્યો યહૂદીઓનાં આગેવાનોના ડરના લીધે બારણાં બંધ કરીને ભેગા મળ્યાં હતા, ત્યારે ઈસુ તેમની મધ્યે આવીને ઊભા રહ્યા અને કહ્યું, "તમને શાંતિ થાઓ." 20 આમ કહીને તેમણે કહ્યું, તેમણે તેઓને પોતાના હાથ તથા કૂખ બતાવ્યાં. જયારે તેઓએ પ્રભુને જોયા ત્યારે શિષ્યો આનંદ પામ્યા.
21 ફરીથી ઈસુએ કહ્યું, "તમને શાંતિ થાઓ. જેમ પિતાએ મને મોકલ્યો છે તેમ હું તમને મોકલું છું." 22 અને તે સાથે તેઓના પર શ્વાસ નાંખીને કહ્યું, "પવિત્ર આત્મા પામો. 23 જો તમે કોઈનાં પાપ માફ કરશો, તો તેમના પાપ માફ થાય છે; જો તમે તેમને માફ ના કરો, તો તેમના પાપ માફ થતા નથી."