21 ઈસુએ જવાબ આપ્યો, "બાઈ, મારા પર વિશ્વાસ કર, એવો સમય આવે છે કે જયારે તમે પિતાનું ભજન આ પહાડ પર કે યરુશાલેમમાં નહિ કરશો. 22 તમે સમરૂનીઓ જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો, અમે જેને જાણીએ છીએ તેમનું ભજન કરીએ છીએ, કેમકે તારણ યહૂદીઓમાંથી છે. 23 પણ એવો સમય આવે છે અને હાલ આવ્યો છે કે ખરા ભજનારા આત્માથી અને સત્યતાથી પિતાનું ભજન કરશે, કેમકે એવા ભજનારાઓને પિતા શોધે છે.
Publicidade