18 "આપણે યરુશાલેમ જઈએ છીએ અને માણસના દીકરાને મુખ્ય યાજકો તથા નિયમશાસ્ત્રના પંડિતોના હાથમાં સોંપી દેવામાં આવશે. તેઓ તેને મૃત્યુદંડ ફરમાવશે. 19 પછી તેઓ તેની મશ્કરી કરવાને, કોરડા મારાવવાને અને વધસ્તંભ પર જડવાને વિદેશીઓનાં હાથમાં સોંપી દેશે. ત્રીજા દિવસે તે સજીવન થશે."
Publicidade